|
ઝેરશાસ્ત્ર વિભાગ
શંકાસ્પદ મોતના કિસ્સાઓ જેવા કે ખૂન, આત્મહત્યા અને અકસ્માતે થયેલ મૃત્યુના કેસોમાં મોતનું ચોકકસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. જેમાં વ્યકિતએ કૉઈ ચોકકસ પ્રકારના ઝેર આપવામાં આવેલ છે કે લીધેલ છે તે માટે તબીબી અધિકારીશ્રી, તરફથી પોસ્ટમોર્ટમ કરી વિશેરા, ઉલ્ટીના નમુનાઓ, સ્ટમકવોશ અને લોહીના નમુનાઓ લઈ પ્રયોગશાળાને પૃથ્થકરણ માટે મોકલવામાં આવે છે. આ ઉપરાંત તપાસ કરનાર અધિકારીશ્રીએ ગુન્હાના સ્થળ પરથી ઉલ્ટીવાળી જગ્યાની માટીના નમુનાઓ, વ્યકિતના કપડાં તેમજ ઝેરી દવાની શીશીઓ વ્યકિતએ વધુ માત્રામાં લીધેલ દવાની ગોળીઓ પ્રયોગશાળાને રાસાયણિક પૃથ્થકરણ માટે મોકલવામાં આવે છે.
પ્રયોગશાળામાં બાષ્પશીલ પ્રકારના ઝેર ,અકાર્બનીક ઝેર, ઉંધની ગોળીઓ, જંતુનાશક દવાઓ વગેરેનુ રાસાયણિક પૃથ્થકરણ, રસાયણીક કસોટીઓ તેમજ ઉપકરણ પઘ્ધતિથી કરવામાં આવે છે આ પ્રુથ્થકરણ માટે નીચે મુજબના આધુનિક ઉપકરણો ઉપયોગ કરી ઝેરની ઓળખ કરવામાં આવે છે.
- ગેસ ક્રોમેટોગ્રાફ
- ગેસ ક્રોમેટોગ્રાફ વીથ માસ સ્પેકટ્રોફોટોમીટર
- અલ્ટ્રાવાયૉલેટ સ્પેકટ્રોફોટોમીટર
- હાઈ સ્પ્રેશર લીકવીડ ક્રોમેટોગ્રાફ
- ગેસ ક્રોમેટોગ્રાફ વીથ નાઈટ્રૉજન ફોસ્ફરસ ડિટેકટર
ટી. એલ.સી. સ્ક્રેનર
|
|
|